૧. નળ સરોવર
અમદાવાદથી અંતર: 62 કિમી
કોના માટે? ગ્રુપ આઉટિંગ માટે
બર્ડ-વોચિંગનો શોખ ધરાવતા લોકો માટે અમદાવાદ નજીકની શ્રેષ્ઠ જગ્યા હોય તો તે છે નળ સરોવર. નયનરમ્ય તળાવ, ખુલ્લી જગ્યા, પક્ષીઓનો કલરવ.. કેવું મજાનું! વહેલી સવારે ઘરેથી નીકળીને બપોર સુધી અહીં ફરવાનો શ્રેષ્ઠ સમય છે.
૨. થોળ
અમદાવાદથી અંતર: 30 કિમી
કોના માટે? યુવાનો માટે
અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીઓની મનપસંદ જગ્યા. કોવિડને કારણે કોલેજ તો બંધ છે પણ થોળ નહિ. સવારના સમયે મિત્રો સાથે થોળ પહોંચી જાઓ. કોલેજમાંથી બઁક મારીને બહાર નીકળી જતાં હતા તો હવે લેપટોપ કે મોબાઈલ પર ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરો. ટ્રસ્ટ મી, બહુ જ નવો, યુનિક અનુભવ થશે.
૩. પોલો ફોરેસ્ટ
અમદાવાદથી અંતર: 154 કિમી
કોના માટે? નેચર લવર્સ માટે
આ સ્થળ સાવ નજીક કહી શકાય એવું નથી, પણ બહુ દૂર પણ નથી. હિંમતનગર પાસે આવેલી આ હરિયાળી જગ્યાએ ઘણા લોકો ટૂ વ્હીલર પર જતાં હોય છે. જેમને ડ્રાઇવિંગનો શોખ હોય તેમને થોડું વધુ ડ્રાઇવિંગ કરવાની તક મળે છે. કુદરતી સાનિધ્ય પ્લસ પ્રાચીન બાંધકામો આને એક આદર્શ ફોટોગ્રાફી પોઈન્ટ બનાવે છે.
૪. અડાલજની વાવ
અમદાવાદથી અંતર: 19 કિમી
કોના માટે? બધા જ માટે બેસ્ટ
મોસ્ટ કોમન યેટ મોસ્ટ ફેવરિટ! લગભગ કોઈ પણ અમદાવાદી માટે આ જગ્યા નવી નથી. પણ અડાલજની વાવ આઉટિંગ માટે દરેકની આગવી પસંદ છે. અદભૂત કોતરણી ધરાવતી આ ઐતિહાસિક વાવ જ્યારે પણ જઈએ ત્યારે એક નવો જ અનુભવ કરાવે છે.